![]() |
જયારે તમારી યાદો તમારી વર્તમાન યાત્રામાં પુલ નહિ બનતા મોટાં પથ્થર જેવો અવરોધ બને છે ત્યારે તમે વૃદ્ધ થઇ ગયા છો. |
શું તમને ઘરડાં થવાનો ડર સતાવે છે? દરેક જણ જેમને પાકટ વયે મૃત્યુ પામવું છે તેને વૃદ્ધાવસ્થામાંથી તો પસાર થવું જ રહ્યું. ઘણાં લોકો તો વૃદ્ધાવસ્થાને છેલ્લાં શ્વાસ સુધી વ્યાખ્યાયિત કરતાં રહે છે તો ઘણાં તેમની ચાલીસીમાં જ પોતાની વૃદ્ધાવસ્થાને મહેસુસ કરવા લાગે છે. શું માનવ શરીર જેમ જેમ વૃદ્ધ થાય તેમ વધુ બરડ બનતું જાય છે? વારુ, સામાન્ય અવલોકન તો તે વાતને પ્રમાણિત કરે છે. પરંતુ, કલ્પના કરો કે, આપણે શારીરિક ઉમર ને જ હટાવી દઈએ તો? તો કદાચ વૃદ્ધાવસ્થાને એક નવો અર્થ મળશે. હું એવાં અસંખ્ય લોકોને જાણું છું જે પોતાની આખી જિંદગી પીડા, માનસિક ત્રાસ અને અત્યાચાર સહન કરે છે ફક્ત એટલાં માટે કે જયારે તે પોતે વૃદ્ધ થાય ત્યારે કોઈક તો તેમની આસપાસ હોય. વૃદ્ધાવસ્થામાં એકલાં પડી જવાનો ડર ઘણાં લોકોને ધ્રુજાવી દે છે. તો કોઈ વૃદ્ધ ક્યારે થતું હોય છે? વાંચતા રહો.
જયારે તમારી જિંદગીમાં મહત્વકાંક્ષાઓ કરતાં યાદો વધુ હોય, ત્યારે તમારી જાતને વૃદ્ધ ગણો. જયારે તમારી પાસે ફક્ત તમે ભૂતકાળમાં તમે આ કેવી રીતે કરતાં હતા અને પેલું કેવી રીતે કરતાં હતા એનાં વિશેની જ વાતો રહી હોય, દસ વર્ષ પહેલાં તમે કેટલાં અદભુત હતાં કે તમે કેટલાં માન્યામાં ન આવો એવાં હતાં. જયારે તમે તમારાં વર્તમાનમાં જીવતાં નથી કે ભવિષ્ય સામે નથી જોતા, અને ફક્ત તમે ભૂતકાળનું ઊન લઇને એની એ જ વાર્તાઓ વર્તમાનમાં ફરી ફરીને ગૂંથતા હો, તો તમે ઘરડાં થઇ ગયા છો. જે અંદરથી ઘરડાં થઇ ગયા છે તેની એક ઠોસ નિશાની એ છે કે તે હંમેશા ભૂતકાળની જ વાતો કરે છે.
જે નસીબદારોને સામાન્ય જીવન અવસ્થા મળી છે તેમનાં માટે વૃદ્ધાવસ્થા એ એક અનિવાર્ય વાત છે. જયારે કોઈ વસ્તુ અનિવાર્ય હોય તેનાં માટે ફક્ત બે જ પસંદગી રહેલી હોય છે: પ્રથમ, તેને એક અદા અને કૃતજ્ઞતાથી એનું સંચલન કરો. બીજું, કાં તો પછી તેનો દુઃખ અને ફરિયાદ સાથે અસ્વીકાર કરો. વૃદ્ધાવસ્થા એ શુક્રવારની સાંજ જેવી છે – તે શાંત થઇ જાય છે, અને વિક એન્ડનાં વિરામની શરૂઆત પહેલાં ધીમી પડી જાય છે. અને મૃત્યુ શું છે? વારું, મૃત્યુ એ વિક એન્ડ છે. ચેતના હંમેશા આગળ વધતી રહે છે. જો તમે આત્મા કે પુન:જન્મમાં વિશ્વાસ ધરાવતાં હશો, તો નવો જન્મ તમારી રાહ જોતો હશે. જો તમે સ્વર્ગ કે નર્કમાં વિશ્વાસ ધરાવતાં હશો તો, કોને ખબર તમે તમારી સ્વપ્નાંની જિંદગી તેમાંના કોઈ એક સ્થળે જીવશો. અને જો તમે શેમાંય વિશ્વાસ નહિ ધરાવતાં હોવ તો પછી, આશા રાખું છું કે તમને તમારા જવાબની પણ ખબર હશે.
એક પાદરી એક શ્રીમંત માણસની સ્મશાન યાત્રામાં ગયો. મૃત વ્યક્તિ તેનો મિત્ર હતો અને તે એક પ્રખર નાસ્તિક હતો જેને ભગવાન, સ્વર્ગ કે નર્ક શેમાંય વિશ્વાસ નહોતો. તેની સ્મશાનયાત્રા એકદમ ભવ્ય હતી. પાદરી કોફીન પાસે ગયા. કોફીન એકદમ સરસ લાકડાંની બનેલી હતી તેની અંદર એક રેશમી કપડું પાથરેલું હતું અને પાર્થિવ શરીરને હાથની બનાવટનો એક રેશમી કુર્તો પહેરાવેલો હતો.
“અરે કેટલી શરમની વાત છે,” પાદરીને વિસ્મય થયું, “આટલો સરસ તૈયાર થયો છે ને જવાનું ક્યાંય નહિ!”
વ્યક્તિગત રીતે જો તમે મને પૂછતાં હોય તો, હું તમારી કોઈ પણ માન્યતા સાથે એકદમ સહજતાથી રહી શકું છું. જે કઈ પણ તમને અંદરથી તાકાત આપતું હોય અને શાંતિનો અનુભવ કરાવતું હોય, તે વિચારને અપનાવો. આખરે તો આ બધી એક પરિકલ્પનાઓ માત્ર છે, કેટલીક બીજી કોઈ કરતાં વધુ માન્યામાં આવે એવી. એટલું જ. તે તમારી સમક્ષ સત્યને પ્રદર્શિત કરી શકે તેટલી શક્તિમાન નથી. બહુ બહુ તો તે તમને એક બુદ્ધિશાળી પસંદગી આપે, એક જીવવાનો રસ્તો આપી શકે.
તમારા શ્વાસની ગુણવત્તા, કે જે તમારા જીવનનો મુખ્ય આધારસ્થંભ છે, તે છેક છેલ્લી ક્ષણ સુધી બગડતો નથી. જેથી કરીને તમે જીવનની દરેક ઋતુઓને માણી શકો. બીજા તમારા માટે શું વિચારે છે તે તેમનો પ્રશ્ન છે. અંદરથી તો તમે તમને બીજા કોઈ પણ કરતાં સારી રીતે જાણતા જ હોવ છો. દુનિયા, સમાજ તો તમે ઘરડાં થઇ ગયાની લાગણી અનુભવો એનાં માટે ઉત્તમ પ્રયત્ન કરશે. શા માટે માં-બાપ, શિક્ષકો અને વડીલો પણ તમને મોટા થાવ કે હવે તમે મોટા થયા એવું કહ્યા કરતાં હોય છે. તેઓ જાણી જોઈને એવું નથી કરતાં હોતાં, તેમને એનાંથી વધુ સારી બીજી કોઈ ખબર જ હોતી નથી. મહદ્દઅંશે તો તેમનાં વિરુદ્ધ કોઈ દાઝ ન રાખશો ફક્ત તમારો અંતર્નાદનો અવાજ થોડો મોટો કરી દો. તમારો અંતર્નાદ જ તમને માર્ગદર્શન આપશે અને તમને કેવાં પગલાં લેવા તેનાં વિષે નિર્ણય કરવામાં મદદરૂપ બનશે. એક દિવસ મુલ્લા નસરુદ્દીન નેવું વર્ષની ઉમરે એક અઢાર વર્ષની છોકરી સાથે લગ્ન કરવાનું નક્કી કરે છે. તેમનાં પુત્રો, પૌત્રો અને તેમનાં પણ સંતાનો સ્તંભિત થઇ જાય છે.
“તમે આ શું કરી રહ્યા છો, અબ્બા? પુત્રે કહ્યું, “ફાતિમા, ફક્ત અઢાર વર્ષની છે!”
“તો શું થયું? તારી માં પણ અઢાર વર્ષની જ હતી જયારે તેની સાથે મેં નિકાહ કર્યો હતો.”
“તમે મને સમજ્યા નહિ, ચાલો હું તમારી સાથે સીધી વાત કરું, આ ઉમરે સંભોગ? એનાંથી કોઈકનું મોત થઇ શકે છે! હું તમને ચેતવી રહ્યો છું.”
“આહ...તારી માંની જેમ બિનજરૂરી ગુસ્સે ન થઇ જા, ચિંતા ન કર, જો ફાતિમા મરી જશે તો, હું બીજી સાથે લગ્ન કરીશ!” મુલ્લાએ કહ્યું.
હું એમ નથી કહેતો કે તમે કારણ અને અર્થને મારી નાંખો; પણ બીજા કોઈને તમારે તમારા વિષે કેવું અનુભવવું જોઈએ તે કહેવાની છૂટ ન આપો. કોઈ શિક્ષક, કોઈ ઉપદેશક, કોઈ માલિક કે કોઈ સહભાગીને પણ નહિ. કાયદો, તમારો વિશ્વાસ અને તમારી આસપાસનાં લોકો તમને જીવન જીવવાનું એક ચોકઠું આપશે, પણ ફક્ત તમારે જ તમારું જીવન કેવું જીવવું તેનાં માટેનાં નિયમો બનાવવાના. જયારે દૂરની યાદો તમારા વર્તમાનનાં અંતરને કાપવા માટે એક અવરોધ બની જાય, ત્યારે તમારા જીવનની અને તમારા વર્તમાનની દોર તમારા હાથમાં લઇ લો અને જીવન જીવવાનું શરુ કરી દો! બીજા માટે તેમજ પોતાનાં માટે દયા તમારા જીવનની દરેક ક્ષણને એક આહલાદ્દક બનાવે છે.
બાળપણ હંમેશા નથી રહેતું. યુવાની કાયમી નથી, અને વૃદ્ધાવસ્થા પણ જલ્દી જ ખતમ થઇ જશે. કશાયને વળગી રહેવા જેવું નથી. આ તો ઉડતી ઋતુઓ છે. જયારે તમારી પાસે જે છે ત્યારે તેને જીવો, પ્રેમ કરો, હસો-હસાવો અને દાન કરો. અને એવી રીતે કરો કે તમે અરીસામાં દેખાતી વ્યક્તિ સાથે પ્રેમમાં પડી જાવ, એવી રીતે કે જયારે ઓશિકા પર માથું મુકતી વખતે તમારા મન પર કોઈ ભાર ન રહે.
તમે જે છો તે બની રહો. તમારી જાતને પ્રેમ કરો. તમારી જાતને ઓળખો. તમે તમારી જાતને ઉમરથી પરે પામશો.
(Image
credit: Paul
Weber)
શાંતિ.સ્વામી
P.S. જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય તો અહી ક્લિક કરી સભ્ય બનો.
No comments:
Post a Comment